%----%>
1) શૈક્ષણિક માર્ગદર્શન :-
અહીં બાળકોની શિક્ષણ પ્રત્યે રૂચી કેળવાય , ભાર વિનાનું ભણતર , બાળકો ભણતા થાય , સમાજમાં શિક્ષણનો વ્યાપ વધેતે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના માતા-પિતા/વાલીઓએ બાળકો સારી રીતેભણી ઘણી કાર્યરત થાય એ માટે શું કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આર્થીક નબળા વિદ્યાર્થીઓનેઉચ્ચ અભ્યાસ માટે જરૂરી સુવિધા પૂરી પાડી તેમજ દિશા ભૂલેલા , નિરાશાની ગર્તમાં ધકેલાયગયેલાને યોગ્ય , વ્યક્તિગતમાર્ગદર્શન આપવામાં આવે છે , વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થેબહારગામ જવાનું હોય કે એન્જીનીયરીંગ ડીપ્લોમા / ડીગ્રી , મેડીકલ અથવા બીજા ઉચ્ચ અભ્યાસો જેવા કે MCA, MBA, તથા અન્યઅભ્યાસક્રમો માટે શૈક્ષણિક માર્ગદર્શન જરૂર હોય .
2) નોકરી માર્ગદર્શન :-
ગુજરાત માં કઈજગ્યાએ કયા પ્રકાર ની ખાલી જગ્યા ઓ છે તે વિશે સતત માહિતી Facebook ના Dhodia.in Group માં મુકવામાં છે અને જે નોકરી ની તપાસ કરતા મેમ્બેર નેમાહિતી આપવા માં આવે છે
દા.ત. ખાનગી નોકરી , સરકારી નોકરી જેમકે તલાટી ભરતી , પોલિસ ભરતી , વિધા સહાયક ભરતી
3) મેડીકલ માર્ગદર્શન :-
સમાજનોદરેક નાગરીક તંદુરસ્ત રહે એ માટે આપણા સમાજના યુવા સંગઠન દ્વારા તબીબી માર્ગદર્શન આપવા માં આવે છે.જેનો લાભ લેવા સૌને વિનંતિ , જેથીકરીને આપણે તંદુરસ્તસમાજનું નિર્માણ કરી શકીએ.
દા.ત. રાહત શિબિર , મોતિયા બિંદુ કે રક્તદાન
4) લગ્ન અને સમૂહ લગ્ન માર્ગદર્શન :-
સમાજ માં અલગ અલગજગ્યા એ સમૂહ લગ્ન કે પરિચય મેલો રાખવા માં આવે છે તો તે વીશે નામ , સરનામું અને સ્થળ વિષે માહિતી અને આયોજકવિષે પણ માહિતી આવે છે જેથી સમાજ ના લોકોને સુવિધા અને જાણકારી મળી રહે
5) વ્યસન મુક્તિ માર્ગદર્શન :-
ઢોડિયા સમાજ માં વ્યસનો નું ખુબ મોટું દુષણછે , તેના લીધે સમાજ પછાડપડી ગયો છે , જેમ કે દારૂ , તમાકું , ગુટખા અને માવો , ચાલો આ વ્યાસનો નેસમાજ માંથી દુર કરવા નો એક પ્રયાસ કરીએ
ઢોડિયા સમાજ ના લોકો એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય , સંજોગોને આધીનવ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ , બીડી , સિગારેટ , દારૂનું વ્યસન કરતાંજોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ , નિરક્ષર હોવાથી તેનેતેમ કરતો રોકી શકતાં નથી.
6) શિક્ષણ સહાય :-
આર્થિક રીતે ગરીબ વિધર્થી ને શિક્ષણ માટે સહાય કરવામાં આવે છે અથવા તેને યોગ્ય Trust કે વ્યક્તિપાસે થી મદદ મળશે તે માટે મહીતો આપવામાં આવે છે
7) યુવા સ્નેહમિલન / Get-together:-
Dhodia.in Group દ્વારા થોડા થોડા સમયે અમુક અમુક જગ્યાએસ્નેહમિલન કાર્યક્રમ રાખવા માં આવે છે અને સમાજ ને કઈ રીતે આગળ આવીસકે તે વિશે ચર્ચા કરવામાં આવે છે અને નવા મિત્રો નેમાહિતી આપવામાં આવે છે
8) સામાજિક માહિતી :-
સમાજ ના લોકો આજકાલ શહેરો માં રહેવા લાગ્યા છે અને ગામડા ના લોકો પણ નવીરીત રીવાજો પ્રમાણે જીવે છે તો Dhodia.inGroup અને http:/www.Dhodia.in દ્વારા જૂનીઅને ભુલાઈ ગયેલી માહિતી આપવા માં આવે છે
દા.ત. પુસ્તકો , ઈતિહાસ , રાત ઉજાણી , વસ્તી , રહેઠાણ , ભાષા , ગીતો , ધર્મ , પોશાક , વ્યસન , વ્યવસાય , ખોરાક , કુળ , રમતો , નૃત્ય , મંડળો
9) ઢોડિયા ભાષા શિક્ષણ :-
આજકાલ ઢોડિયા લોકો પણ ઢોડિયાભાષા ઉપયોગ નહીવત કરે છે તોં આવતી પેઢી ને તો ઢોડિયા ભાષા ભુલાઈ ના જાયતે માટે Dhodia.in Group દ્વારાઢોડિયા ભાષા ના શબ્દાર્થ , શબ્દકોશવાક્ય રચના ના થોડા ઉદાહરણો આપવા માં આવ્યા છે જેથી આવતી પેઢી ને પણ ઢોડિયા ભાષાઆવડી શકે .
10) કૃષિ માર્ગદર્શન :-
આપણા દેશનીસંસ્કૃતિ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. દેશના ૬૦ ટકાથી વધુ વસ્તીનું અર્થતંત્રકૃષિ ઉદ્યોગ ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નિર્ભર હોય છે એ રીતે દેશનાઅર્થતંત્રનો આધારસ્તંભ કૃષિ છે. આનો મુખ્ય આશય એક જ છે કે રાજ્યના ખેડૂતો કૃષિવૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાંતોના સીધા સંપર્કમાં આવે. ખેડૂતો અને પશુપાલકો પ્રત્યક્ષવાતચીત દ્વારા નવીન ટેકનોલોજી વિશે માર્ગદર્શન અને સહાય પણ મેળવે અનેપોતાને મુંઝવતી સમસ્યાઓનું નિરાકરણ પણ લાવી શકે. ખેડૂતો બીનજરૂરીખર્ચ નિવારીને ખેતી નફાકારક બનાવે. જેના થકી ખેડૂતોની આબાદી , રાજ્ય અને દેશનીસમૃદ્ધિમાં પણ વધારો થયો છે જેથી આવા હેતુપૂર્ણ કૃષિ મહોત્સવનોવધુમાં વધુ લોકોએ લાભ ઉઠાવવા અનુરોધ કર્યો હતો. તો આવા સેમિનારનો ખેડૂતોતથા પશુપાલકોને વધુમાં વધુ ફાયદો લેવા આગ્રહ કરવામાં આવે છે.